મુખ્ય સામગ્રી પર જાઓ

કેવી રીતે જાણી શકાય કે ઝાડ તરસ્યું છે?

    જ્યારે ઝાડને જરૂરીયાત મુજબનું પાણી મળતું હોય ત્યારે ફુલ એકદમ ખીલેલાં અને પાંદડા પણ એકદમ તાજા લાગે છે. જ્યારે ઝાડની ડાળી નમવા લાગે, ફુલ કરમાઈ જાય અને પાંદડા નમી જાય તથા પીળાશ પડતા થઈને સુકાવા લાગે ત્યારે સમજી શકાય કે ઝાડને પાણીની જરૂર છે. પાંદડાની કિનારી નજીક બદામી રંગ થતો જોવા મળે તો પણ કહી શકાય કે ઝાડને વધારે પાણીની જરૂર છે. પાણીની અછતના કારણે લીલા પાંદડા, દાંડી, મૂળ અને ફળો સંકોચાઈ શકે છે.
      જ્યારે ઝાડને જરૂરીયાત મુજબ કરતા વધુ પાણી આપવામાં આવે ત્યારે પણ ઝાડના પાંદડા પીળા પડીને સુકાય જાય છે, વધાર પડતું પાણી પણ ઝાડ માટે સમસ્યા બની શકે છે. ખાસકરીને જ્યારે છોડ વાવ્યા હોય ત્યારે શરૂઆતના તબક્કામાં વધું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઝાડ મોટું થઈ જાય ત્યારે રોજ પાણી આપવાની જરૂર પડતી નથી. 

ઝાડને પાણી આપવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે?

    આમ તો ઝાડને પાણી પિવડાવા માટેનો કોઈ ચોક્કસ સમયગાળો ના કઈ શકાય. પરંતુ સવાર અને સાંજનો સમય ઝાડને પાણી પીવડાવવા માટેનો શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સમયગાળા દરમિયાન ઝાડના મૂળને મોટાભાગનું પાણી શોષવાની તક મળે છે. પછી ઝાડના કદ, જમીનની સ્થિતિ અને હવામાનની સ્થિતિ પર આધારિત છે કે ઝાડને કેટલું પાણી ક્યારે આપવું.

કયા ઝાડને પાણીની વધુ જરૂર પડે છે? 

    નીલગીરીનું ઝાડ દરરોજ 100-1000 લિટર જેટલું પાણી શોષી શકે છે. પાઈન વૃક્ષ દરરોજ 50-600 લિટર પાણીનો ઉપયોગ કરે છે. વાંસને પણ પાણીની સૌથી વધું જરૂર પડે છે. 

ઝાડ કેટલું ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે?

    100 ફૂટનું ઝાડ તેના આધાર પર 6000 પાઉન્ડ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. સરેરાશ એક ઝાડ દર વર્ષે લગભગ 260 પાઉન્ડ જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. બે પરિપક્વ ઝાડ હોય તો તે ચાર પરિવારને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડી શકે છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

બાવળ(babul tree)

 બાવળ      બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.  બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.  1) દેશી બાવળ(Acacia nilotica)       આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.  ઉપયોગ  દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેત...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...