મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જૂન, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આંબળાનું ઝાડ(Phyllanthus emblica)

     આંબળાનું ઝાડ      આંબળાને ભારતીય ગુસબેરી કહેવાય છે. આંબળાનું ઝાડ એક મધ્યમ કદનું પાનખર ઝાડ છે. આંબળાનું ઝાડ કુટિલ ટ્રંક અને ફેલાવા સાથે 8-9 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આંબળાના ઝાડ પર રહેલા ફળો હુકસ સાથે જોડાયેલા લાંબા વાંસના થાંભલાનો ઉપયોગ કરીને લેવામાં આવે છે. લગભગ 10 વર્ષનું પરિપક્વ ઝાડ 50-70 કિલો ફળ આપી શકે છે. જમીન      આંબળાની ખેતી માટે હળવી અને ભારે જમીન શ્રેષ્ઠ છે. આંબળાની ખેતી માટે બને ત્યાં સુધી રેતાળ જમીન ટાળવી જોઈએ. આ ઝાડ સુકા પ્રદેશમાં સારી રીતે અનુકૂળ છે અને મધ્યમ આલ્કલાઈન જમીનમાં પણ ઉગાડવામાં આવે છે.  વાતાવરણ       આંબળાનું ઝાડ એક ઉષ્ણકટિબંધીય છે, જેના વિકાસ માટે 630-800 મીમી જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે. 3 વર્ષ સુધીની ઉંમરના છોડને મેં - જૂન દરમિયાન ગરમ પવનથી અને શિયાળાના મહિનામાં હિમથી સુરક્ષિત રાખવો જોઈએ. પરિપક્વ છોડ ઊંચામાં ઊંચુ 460ં સે. જેટલું તાપમાન સહન કરી શકે છે.  1) થડ      આંબળાના ઝાડનું થડ આછા ભુરા-લીલા રંગનું હોય છે. આ ઝાડની છાલ ટુકડામાં નીકળે છે. આ ઝાડનું થડ બીજા ઝાડના થ...

સાગ (Teak tree)

 સાગ      સાગનું ઝાડ એક દ્વિબીજપત્રી વનસ્પતિ છે. સાગનું ઝાડ 80-100 ફૂટ જેટલી ઊંચાઇ સુધી વધતું જોવા મળે છે. આ ઝાડ ઉષ્ણકટિબંધીય છે. સુકી ઋતુમાં આ ઝાડ પાંદડા વગરનું થઈ જાય છે. ગરમ સ્થળોએ જાન્યુઆરીમાં પાંદડા ખરી જાય છે, પરંતું ભેજવાળી જગ્યાએ માર્ચ મહિના સુધી આ સાગનું ઝાડ લીલું રહે છે. ચોમાસાના પહેલા વરસાદે સાગના ઝાડ પાંદડા આવી જાય છે. આ ઝાડનું લાકડું વજનમાં હલકું, મજબુત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું તથા ઈમારતી હોય છે. જેમ સાગના ઝાડની ઉંમર વધું હોય તેમ તે ઝાડનું લાકડું સારૂ ગણાય છે. 100 ફૂટ ઊંચા સાગનું લાકડું સૌથી ઉત્તમ ગણાય છે. સાગના લાકડાની માંગ ભારતની સાથે સાથે વિદેશમાં પણ વધું જોવા મળે છે. સાગનું વૈજ્ઞાનિક નામ તેકટોના ગ્રૈંડિસ છે.       ગુજરાત રાજ્યના દક્ષિણપૂવૅ ભાગમાં આવેલા જંગલોમાં તથા ગીરના જંગલમાં આ ઝાડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડાંગના વાંસદાના જંગલોમાં થતું સાગનું લાકડું વલસાડી સાગ તરીકે ઓળખાય છે અને તે ઉત્તમ કક્ષાનું લાકડું ગણાય છે. સાગનું લાકડું 2000 થી વધું વર્ષોથી ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે.  1) થડ      સાગનું...

વડ (Banyan tree)

વડ      વડનું ઝાડ ખુબ જ વિશાળ અને બહુવિધ શાખાઓ ધરાવતું ઝાડ છે. વડનું ઝાડ 25-30 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે. આ ઝાડના હવાઈ મૂળ તેની શાખાઓમાંથી નીકળે છે અને જમીન સુધી પહોંચીને જમીનમાં મૂળ નાંખે છે પછી આ મૂળિયાં નવા થડ બની જાય છે.આ ઝાડના સમયસર મૂળ અને થડના ગૂંચવણના પરિણામે વડ ઘટાદાર તથા ગીચ દેખાય છે અને આ ઝાડ ખુબ જ લાંબા સમય સુધી આયુષ્ય ધરાવે છે. આ શાખાઓમાંથી જે નવાં મૂળ ફુટે છે તેને "વડવાઈ" કહેવાય છે. આ ઝાડની ડાળી  કાપીને વાવવામાં આવે તો તેમાંથી પણ ઝાડ ઉગે છે. આ ઝાડની એક ખાસિયત એ છે કે તે દુષ્કાળના સમયમાં પણ જીવિત રહે છે. વડના ઝાડને એક ઉત્તમ ઔષધિ કહેવાય છે. વડના બધા જ ભાગોનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. આ ઝાડ છાંયડો આપતું હોવાથી ગામની પાદરે, ચોકમાં અને પવિત્ર ગણાતું હોવાથી મંદિરમાં પણ જોવા મળે છે. વડને ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પણ બહુમાન આપવામાં આવ્યુ છે. વડનું ઝાડ કાર્બનડાયોકસાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન છોડવાની ક્ષમતા ડબલ ધરાવે છે. વડનું ઝાડ લોકોને જીવન આપનાર છે, તેથી તેની પૂજા કરવી જોઈએ.       ગુજરાતમાં નર્મદા નદીની વચ્ચે બે...

સરગવો (Moringa oleifera)

 સરગવો      સરગવો ઝડપથી વિકાસ પામતુ પાનખર વૃક્ષ છે. આ ઝાડ એક મધ્યમ કદ ધરાવતું ઝાડ છે. સરગવાનું ઝાડ એકદમ ઘટાદાર હોતું નથી. આ ઝાડ 9 મીટરની ઊંચાઈ સુધી વધે છે. સરગવાની શીંગો લાંબી હોવાથી આ ઝાડને ડ્રમસ્ટિક ટ્રી કહેવાય છે. આ ઉપરાંત તેના બીજા પણ નામો છે જેમ કે મોરિંગા ઓલિફેરા, બેન ઓઈલ ટ્રી, અશ્વનાશ વૃક્ષ, ચમત્કારી વૃક્ષ અને હોર્સરાડિશ ટ્રી. સરગવો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અને રેતાળ જમીનમાં સારી રીતે ઊગે છે. આ ઝાડના બધા જ ભાગોનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. કરવામાં આવે છે.  1) થડ      સરગવાનું થડની છાલ ભૂરા તથા આછા છીંકણી રંગની હોય છે. આ થડ નો વ્યાસ 45 સેમી જેટલો હોય છે. આ ઝાડની છાલમાં એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે.  સરગવાના થડની છાલ લીટાવાળી અને ઉપરછલા ખાંચાવાળી હોય છે.  2) પાંદડાં      સરગવાના પાંદડા લંબગોળ આકારના અને 1-2 સેમી જેટલી લંબાઈ ધરાવે છે. પાંદડા લીલા રંગના હોય છે. પાંદડા ત્રિકોણાકાર રીતે દરેક પિનિટેટમાં 4-6 જોડી પત્રિકામાં હોય છે.  3) ફળ      સરગવાની શીંગો લાંબી, સુંવાળી છાલવાળી, ઘેરા લી...