મુખ્ય સામગ્રી પર જાઓ

જામફળ નું ઝાડ (Guava tree)

જામફળ નું ઝાડ 

    જામફળનું ઝાડ નાનું અને ઝડપથી વિકાસ પામતા સદાબહાર ઝાડ છે. આ ઝાડ ઊંચાઈમાં 3-10 મીટર સુધી પહોંચી શકે છે અને લગભગ 40 વર્ષ જીવે છે. 



જમીનનો પ્રકાર અને સ્થાન

    જામફળ લગભગ કોઈપણ પ્રકારની જમીનમાં ઉગે છે.ફળના ઉત્પાદન માટે, આગ્રહ કરવામાં આવે છે કે જામફળના ઝાડ વધારે પવનવાળા વિસ્તારોમાં વાવેતર ન કરવામાં આવે. નીચા પવન ભંગ જેમાં બાજુની વૃદ્ધિ હોતી નથી તે ક્ષેત્રના કિનારીઓ સાથે 10 - 15 માઇલ પ્રતિ કલાકની સતત પ્રવર્તિત પવન સાથે ઉપયોગ કરી શકાય છે. લંબાઈ અથવા પહોળાઈમાં 500 ફુટથી વધુ લંબાઈવાળા મોટા બગીચાને ધાર પરના સંભવિત ઊંચા સ્તંભ અથવા સીધા ઝાડના ઉપયોગથી ફાયદો થશે.સમગ્ર ઉત્પાદન ચક્ર દરમ્યાન પાણીનો પુરવઠો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ વ્યવસાયિક બગીચામાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે સિંચાઈનો ઉપયોગ કરવો જોઇએ.ક્ષેત્ર નિરીક્ષણો સૂચવે છે કે નીચલા એલિવેશનમાં ભારે સેટ ફળો ઉગાડવામાં આવે છે. વાદળાના આવરણને કારણે તાપમાનના તફાવતને આધારે 2000 ફૂટ અથવા તેથી વધુ ઉગાડવામાં આવેલા છોડ ખૂબ જ અનિયમિત બને છે. જામફળ આર્થિક રીતે ઉંચાઇ પર ઉગાડવામાં આવે છે જ્યાં પાઈનેપલ, મકાડેમિયા, કોફી, પપૈયા, કેરી અને કેળા નફાકારક રીતે ઉગાડવામાં આવે છે. દક્ષિણના ચોક્કસ સંપર્ક સાથેના કેટલાક ક્ષેત્રો સિવાય, 1800 ફુટથી ઉપરના મોટાભાગના વિસ્તારોમાં નફાકારક રીતે ગ્વાવા વધવા માટે યોગ્ય નથી.

1)થડ

    આ ઝાડનું થડ પાતળું હોય છે. છાલ લીલી તથા ભુરા રંગની હોય છે. થડ આધાર પર ડાળીઓ વાળું હોય છે અને શાખાઓ જમીન પર અડી જાય તેટલી નીચી હોય છે. આ ઝાડના થડનો વ્યાસ 20 સેમી જેટલો હોય છે. 

2)પાંદડાં 

    આ ઝાડના પાંદડા અંડાકાર અથવા લંબગોળાકાર હોય છે. આ પાંદડાં 3-6 ઈંચ લાંબા અને પીંછાવાળી નસ વાળું હોય છે. પાંદડા લીલા રંગના હોય છે. 



3)ફળ

    આ ઝાડના ફળને જામફળ કહેવાય છે. જામફળ અંડાકાર હોય છે અને લીલા થી પીળાશ પડતા રંગનું હોય છે. જામફળની ઉપરની છાલનો રંગ સરખો હોય શકે પરંતુ અંદરથી લાલ-ગુલાબી અથવા પીળા-સફેદ હોઈ શકે. લાલ જામફળ ખાવાથી મીઠા લાગે છે. જામફળની અંદર સખત બીજ હોય છે. જામફળ પર મીઠું છાંટીને ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. જામફળ કાચું અથવા રાંધેલું ખાઈ શકાય છે. આ ફળનો વ્યાસ 7 સેમી જેટલો હોઈ શકે. જામફળમાંથી વિટામિન એ, બી, સી, કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં મળે છે.



4) ફૂલ 

    આ ઝાડ પર સફેદ રંગના ફૂલો આવે છે અને 1 ઈંચ જેટલા કદના હોય છે. આ ફૂલ કેલેકસ બેલ આકારના અને અનિયમિત રીતે વિભાજીત થયેલા હોય છે. 



ઉપયોગ 

  • જામફળમાંથી પેસ્ટ્ અથવા જેલી બનાવવામાં આવે છે. 
  • ડીહાઇડેટ્રેડ ફળનો ઉપયોગ જામફળના પાવડર બનાવવા માટે થાય છે. 
  • કાચા જામફળમાંથી શાક બનાવવામાં આવે છે. 
  • લોઅર બ્લડ સુગરને લેવલમાં લાવા માટે મદદ કરે છે. 
  • હાર્ટ હેલ્થને વેગ આપવામાં મદદ કરે છે. 
  • પાચનતંત્રમાં મદદ કરે છે. 
  • વજન ઘટાડે છે. 
  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

બાવળ(babul tree)

 બાવળ      બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.  બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.  1) દેશી બાવળ(Acacia nilotica)       આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.  ઉપયોગ  દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેત...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...