મુખ્ય સામગ્રી પર જાઓ

મહાશિવરાત્રી /Mahashivaratri

 મહાશિવરાત્રી


    મહાશિવરાત્રી એ હિન્દુઓ નો તહેવાર છે. ભારતમાં આ પવૅ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આમ તો પવૅ દર મહિનાની કૃષ્ણપક્ષના ચતુર્દશીના દિવસે આવે છે પણ ફાગણ મહિનાના કૃષ્ણપક્ષના ચતુર્દશીના દિવસે આવે તેને આપણે મહાશિવરાત્રી કહિયે છીએ.


    આ તહેવાર ભગવાન શિવજીનો તહેવાર છે. આ દિવસે શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અને ભાંગ ચડાવવામાં આવે છે અને વિધિ અનુસાર ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે શક્કરિયા, દૂધ અને ફળો ખાઈ શકાય છે. શિવ ભક્તો ૐ નમઃ શિવાય ના પાઠ પણ કરે છે. 

ભગવાન શિવ સાથે મહાશિવરાત્રી ને લગતી કેટલીક માન્યતાઓ છે.

હિન્દુ ધાર્મિક અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન જગત જનની પાર્વતી સાથે થયા હતા.





એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ એ તાંડવ કરી પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો.




કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે આ દિવસે ભગવાન શિવે કાલકુટ નામનું વિષ પીધું હતું.





મહાશિવરાત્રી કેમ મનાવવામાં આવે છે

      દરેક ચંદ્ર મહિનાનો ચૌદમો દિવસ અથવા અમાસના આગળનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે. એક વષૅમાં 12 શિવરાત્રી આવે છે અને આ શિવરાત્રીઓમાં મહાશિવરાત્રી ને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે, જે ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં આવે છે. આ દિવસની રાત્રે ઉત્તરીય ગોળાર્ધની સ્થિતિ એવી રીતે થાય છે કે માનવ ઊર્જા કુદરતી રીતે આગળ વધે છે. આ દિવસે પ્રકૃતિ માણસને તેના આધ્યાત્મિક શિખરે પહોંચવામાં મદદ કરે છે. આ સમયનો ઉપયોગ કરવા માટે ઉજવણી આખી રાત ચાલે છે. આ રાત્રે તમારી કરોડરજ્જુને સીધી રાખી કુદરતી પ્રવાહને વહેરવની સંપૂર્ણ તક આપવી.

મહાશિવરાત્રીનું મહત્વ

    આધ્યાત્મિક માર્ગને અનુસરે તેવા સાધકો અને વિસ્વની મહત્વકાંક્ષામાં મગ્ન છે તેમના માટે મહાશિવરાત્રીનું ખૂબ જ મહત્વ છે. પારિવારિક સંજોગોમાં લોકો શિવના લગ્નની ઉજવણી અને સાંસારિક મહત્વકાંક્ષામાં ડૂબી ગયેલા લોકો શિવનો દિવસ એટલે કે શત્રુઓ પર વિજય મેળવવાની ઉજવણી કરે છે. સાધકો આ દિવસે કૈલાસ પર્વત સાથે સ્થિર થઈ ગયા હતા. યોગિક પરંપરામાં શિવને આદિગુરુ માનવામાં આવે છે, જેમાંથી પ્રથમ જ્ઞાનનો ઉદ્ભવ થયો હતો. ધ્યાનના હજાર વર્ષ પછી એક દિવસ તે સ્થિર થઈ ગયો તે મહાશિવરાત્રીનો દિવસ હતો. તે દિવસે તેની અંદરની બધી પ્રવૃત્તિઓ શાંત અને સ્થિર થઈ ગઈ તેથી સાધક મહાશિવરાત્રીને સ્થિરતાની રાત તરીકે ઉજવે છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ ...