મુખ્ય સામગ્રી પર જાઓ

હોળી/holi/hutasani

 હોળી

    હોળી હિન્દુઓનો તહેવાર છે. આ તહેવારને રંગોના તહેવાર તરીકે પણ ઓળખાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 'હુતાસણી' થી પણ ઓળખાય છે. 

    આ તહેવારના પહેલા દિવસને 'હોળી' અને બીજા દિવસને 'ધૂળેટી' કહેવાય છે. 

    હોળી ફાગણ માસના પૂનમનાં દિવસે મનાવાય છે. આ દિવસે સાંજે ગામના પાદરે કે ચોકમાં લોકો મળીને છાણા કે લાકડાંની હોળી બનાવે છે. ત્યારબાદ બધા લોકો હોળી પ્રગટાવે છે. લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે અને પવિત્ર મનાતી વસ્તુ શ્રીફળથી તેનું પૂજન કરે છે. તેમજ લોકો ધાણી, ખજૂર, ચણા અને મમરા જેવી વસ્તુઓ પણ હોમે છે. ગાય-ભેંસ રાખતા લોકો પૂરા(ગાય-ભેંસને ખાવાનો ચારો)ને અગ્નિમાં થોડો અડાડે છે અને ઘરે જઈને ગાય-ભેંસ ને ખવડાવે છે(લોકોની એવી માન્યતા છે કે આનાથી ગાય-ભેંસ બીમાર થતા નથી) . ભારતમાં વિવિધ પ્રાંત અને સમુદાયમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે થાય છે પરંતુ બધાની ભાવના હોળી પ્રગટાવી અસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિનુ સન્માન કરવું એવો છે. આ તહેવાર સાથે 'હોલિકા' અને 'પ્રહલાદ' ની કથા જોડાયેલી છે. 

    હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ દિવસે નાના-મોટા એકબીજા પર અબીલ, ગુલાલ અને કેસુડાનું પાણી છાંટીને આનંદ કરે છે. જોકે હવે લોકો રાસાયણિક રંગોનો પણ ઉપયોગ કરે છે પરંતુ બને ત્યાં સુધી આવા રંગોનો ઉપયોગ ના કરવો જોઈએ. નાના બાળકો પીચકારીમાં કલરનું પાણી ભરી એકબીજા પર છાંટીને આનંદ કરે છે. કેટલાક છોકરાઓ નાની પ્લાસ્ટિકની બેગ અને ફુગ્ગામાં કલર ભરી એકબીજાને મારીને ઉત્સાહ કરે છે. ગામડામાં આજુબાજુ વારા કે સગાવહાલાઓ પરણીને આવેલી નવી વહૂને રંગોથી રમાડે છે અરે ગોબર અને તાવડી પર જમા થતી કાળી મેશનો પણ ઉપયોગ કરે છે. 



ઇતિહાસ 

કથા


   
     હોળી સાથે એક જૂની કથા જોડાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યું હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણીથી, અસ્ત્ર કે શસ્ત્ર થી કશાથી એમનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે અમર બની ગયો અને તેને મારવો લગભગ અસંભવ થઈ ગયુ. આથી તે અત્યાચારી અને અભિમાની બની ગયો. સ્વગૅ અને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો. તેમને ઈશ્ર્વરની પૂજા કરાવવાનું બંધ કર્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. 
    હિરણ્યકશિપુ ને પ્રહલાદ નામનો એક પુત્ર હતો જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને પણ કેટલાક પ્રલોભનો અને ડર બતાવીને ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગયો નહીં અને પોતાની ભક્તિ ચાલું રાખી. હિરણ્યકશિપુની બહેન હોલિકા પાસે એક ઓઢણી હતી જેને ધારણ કરવાથી અગ્નિ પણ તેને બાળી શકે નહીં. તો હિરણ્યકશિપુએ પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરિક્ષા આપવાનો આદેશ આપ્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવવામાં આવી તો બન્યુ એવું કે ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડીને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનુ દહન થયુ અને આ ઘટના હોળી ઉત્સવ નું કારણ બની. 

 

પછી ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો તેની કથા આવે છે. જેમાં વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી(જેમાં ભગવાન નુ અડધું શરીર મનુષ્યનુ અને અડધું સિંહનુ છે) બરાબર સંધ્યા સમયે, ઘરના ઉંબરા વચ્ચે, પોતાના ખોળામાં પાડીને, પોતાના નંખ દ્વારા ચીરી હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શકિતઓ ના વિજયનું આ પવૅ છે. 

પરંપરા 

    કેટલાક વિસ્તારોમાં હોળીના બીજા દિવસ ધૂળેટીને પડવો કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો', 'ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ હોય છે , ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
    હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...

બદામનું ઝાડ(almond tree)

 બદામનું ઝાડ      બદામનું ઝાડ મોસમ દરમિયાન પાંદડાં ગુમાવે છે તેથી તે પાનખર વૃક્ષ ગણાય છે. આ ઝાડ  6-7 મીટરની ઊંચાઈ સુધી વધે છે. આ ઝાડ તેની ઉંમરના 8 વર્ષે પરિપક્વતા અવધિમાં પ્રવેશે છે. આ ઝાડનું આયુષ્ય 50 વર્ષ જેટલું માનવામાં આવે છે. આ વૃક્ષની કુંપણ લીલી હોય છે, પછી જાંબુડો થતી જાય છે અને બીજા વર્ષે તે રાખોડી બની જાય છે. આ ઝાડ પ્રાચીન અખરોટનું એક વૃક્ષ ગણાય છે જે માણસો દ્વારા ઉગાડવામાં આવતું હતું. આ ઝાડ રોસાસિ પરીવારનું છે. બદામના ઝાડની ખેતી તેના ફળ બદામ માટે કરવામાં આવે છે. બદામ તેલના ઉત્પાદનના અવશેષો ઝેરી છે અને તેનો ઉપયોગ પશુઓના ખોરાક માટે કરી શકાય નહીં. મોટાભાગે યુ. એસ, સ્પેન, ઇટાલી, ઈરાન, સીરીયા, મોરોક્કો અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોમાં બદામના ઝાડની ખેતી કરવામાં આવે છે. આર્મેનિયા અને અઝેરબીજાનમાં બદામનું પ્રથમ વાવેતર થયું હોવાનું મનાય છે. છેલ્લા બે દાયકામાં કેલિફોર્નિયા બદામના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે, જે વિશ્વના પુરવઠાની 80% કરતાં વધું કેલિફોર્નિયા હિસ્સો ધરાવે છે. આ ઝાડના ફળ માટે બે જુદી જુદી અને સુસંગત ફળ આપવાની જાતો રોપવામાં આવે છે, જેથી પરાગ એક ઝાડ ...