મુખ્ય સામગ્રી પર જાઓ

ગુલામોહર (Delonix Regia)

ગુલામોહર 

ગુલમોહરને સંસ્કૃતમાં "રાજ-આભરણ" કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે રાજ આભૂષણોથી શણગારેલ વૃક્ષ. ગુલમોહર ના વૃક્ષને શુકનિયાળ કહેવામાં આવે છે. ગુલમોહર છાયાદાર વૃક્ષ છે. જે શોભા અને છાયડાંની દ્રષ્ટિએ ઉપયોગી છે. આ વૃક્ષનો કોઈ એવો ભાગ નથી હોતો જ્યાં ફૂલો આવતાં ના હોય. આ વૃક્ષનો વિકાસ થતા વાર લાગતી નથી. આ વૃક્ષ થોડા સમય માટે જ પાનખરનો શિકાર બને છે. ઉષણતટીય વિસ્તારમાં ગુલમોહર જલ્દીથી ઉગી જાય છે. તેની કલમ પણ લગાવી શકાય છે.આ ઝાડ દેખાવમાં મોર જેવુ લાગતુ હોવાથી પીકોક ટ્રી કહેવાય છે. આ વૃક્ષને પાણીની ઓછી જરૂર પડતી હોવાથી ગમે તે વિસ્તારમાં સહેલાઈથી ઉગે છે. આ વૃક્ષ 5 મીટર થી 12 મીટરની ઊંચાઈ સુધી ફેલાય છે.


1)થડ

    આ થડની છાલ આયુર્વેદિક રીતે ખૂબ જ ઉપયોગી છે. આ છાલનો ઉપયોગ આદિવાસી લોકો માથાના દુઃખાવા અને પાચન માટે કરે છે.


2)પાંદડાં

   આ ઝાડના પાંદડા લીલા છમમ જેવા કલરના હોય છે. 

 

3)ફળ

4)ફૂલ

    ગુલમોહરના ફૂલ લાલ, કેસરી, ભગવો અને પીળા કલરના હોય છે. આ ફૂલો એપ્રિલ મહિના ના છેડે અને મેં મહિનાની શરૂઆતમાં આવે છે. ચૈત્ર મહિનાથી જ આ ફૂલો દેખાવા લાગે છે.આ ફૂલો 8 સેમી ની ચાર પાંખડીના હોય છે અને પાંચમી પાંખડી સીધી અને ટટ્ટાર હોય છે. આ પાંચમી પાંખડીમાં પીળો અથવા તો સફેદ ડાઘ હોય છે. ફૂલો પરથી મધમાખી મકરંદ ગહણ કરે છે અને તેનાથી પરાગણ પણ થાય છે.

     

ઉપયોગ

  • આ વૃક્ષમાં નાઇટ્રોજનૂં પ્રમાણ સ્થિર રાખવાનો અને જમીનની ગુણવત્તામાં સુધારો કરવાનો ગુણ હોય છે.
  • ગુલમોહરની છાલ અને બીજ આયુર્વેદિક રીતે ખૂબ જ ઉપયોગી છે. 
  • માથાના દુઃખાવા અને પાચન માટે આદિવાસી લોકો તેની છાલનો પ્રયોગ કરતા હોય છે.
  • ડાયાબીટીસની કેટલીક આયુર્વેદિક દવાઓમાં ગુલમોહરના બીજને અન્ય જડીબુટ્ટીમાં મેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે.
  • છાલનો ઉપયોગ મલેરિયાની દવામાં થાય છે.
  • હોળીના કલર બનાવવામાં ફૂલોનો ઉપયોગ થાય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કરંજ નું ઝાડ /કણજી(Millettia pinnata)

  કરંજ નું ઝાડ /કણજી      કરંજ મોટા કદ નુ ઝાડ છે અને સમાન પહોળા ફેલાય છે. કરંજ 15-25 મીટર(50-80 ફૂટ) સુધી વધે છે. કરંજના ઝાડનો વિકાસ શરૂઆત માં ખૂબ જ ધીમો થાય છે. કરંજ વૃક્ષ ના મૂળ માં જ્યારે ભેજનુ પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે પાંદડાં ખરી જાય છે. કરંજ ના દાતણ નો સ્વાદ કડવો અને તીખો હોય છે. કરંજ ઝાડના બીજ અર્ક, પાંદડા, મૂળની છાલ અને સ્ટેમની છાલમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે અને ખાવાલાયક હોય છે.  હવે આપણે કરંજ ના ઝાડના ભાગ વિશેની માહિતી જોઈશુ. 1) થડ     કરંજ નુ થડ સીધું અથવા કુટિલ હોય છે. તેનો વ્યાસ 50-80 સેેન્ટિમીટર(20-30 ઇંચ) હોય છે. થડ પર ભૂરા રંગની છાલ હોય છે. આ છાલ તંતુમય હોય છે, જેથી દોરડામાં ફેરવી શકાય છે.  2) પાંદડા કરંજના ઝાડના પાંદડા જ્યારે યુવાન હોય ત્યારે ગુલાબી-લાલ રંગના અને પરિપક્વ થઈ જાય ત્યારે લીલા રંગના થઈ જાય છે. આ પાંદડા એકબીજાથી વિરુદ્ધ, તીવ્ર , ચળકતા, લાંબા અને લંબગોળાકાર હોય છે. કરંજ ઝાડના પાંદડા 5-10 સે.મી. લાંબા અને 4-6 સે.મી. પહોળા હોય છે.  3)ફળ  કરંજના ઝાડ પર ફળ આવવાનો સમયગાળો એપ્રિલ - જૂન મહિના સુધીનો હોય છે. આ ઝાડ પર અસ...

બાવળ(babul tree)

 બાવળ      બાવળને બાબૂલ, બબૂલ, કાંટાદાર બાવળ, કાળો પિંકવાટ જેવા નામથી ઓળખવામાં આવે છે.આ ઝાડ મધ્યમ કદનું કાંટાળુ અને સદાબહાર વૃક્ષ છે. આ ઝાડ બે જૂથમાં વિભાજીત થાય છે, જેમાં પ્રથમ જૂથમાં ઊંચા નદીના વૃક્ષો હોય છે જે મોસમી પૂરથી ભરાયેલા વિસ્તારમાં ઊગે છે. તેમની શીંગોમાં બીજ વચ્ચેની લાક્ષણિકતા ગળોના હાર આકારની હોય છે. બીજા જૂથમાં આ ઝાડ સુકા વિસ્તારમાં ઊગે છે અને સીધી ધારવાળી શીંગો હોય છે. બાવળ ખૂબ જ કિંમતી આયુર્વેદિક ઝાડ છે જે જરૂરી ઔષધિઓ માટે જાણીતું છે. ભારતમાં સુકા વિસ્તારમાં આ ઝાડ જોવા મળે છે.  બાવળની મુખ્ય જાતો નીચે પ્રમાણે જોવા મળે છે.  1) દેશી બાવળ(Acacia nilotica)       આ ઝાડની છાલ જાડી, કાળી અને ખરબચડી હોય છે તથા લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલો અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે.આ ઝાડના પાન લીલા રંગના તથા પાંદડીઓ 7-8 ની જોડીના સમુહમાં હોય છે. આ ઝાડ 20-25 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને તેના થડનો વ્યાસ 1 મીટર જેટનો હોય છે.  ઉપયોગ  દેશી બાવળનું લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડાં તરીકે, ગાડા માટેના ખેત...

વખડો(Salvadora persica)

 વખડો      આ ઝાડ કદમાં નાનું હોય છે. વખડાની ઊંચાઈ 4-5 મીટર જેટલી હોય છે.આ ઝાડને ડાળીઓ વધારે હોય છે.આ ઝાડ પડતર અને ગૌચર જમીનમાં વધારે જોવા મળે છે. આ ઝાડ રણ વિસ્તારમાં ઊંટનું પ્રિય ભોજન છે. ગુજરાતમાં વખડો પીલુડી તરીકે અને વઢિયાર પંથકમાં જારૂ તરીકે ઓળખાય છે. વખડા 2 પ્રકારના હોય છે.   1) ખારો વખડો      આ વખડાના પાંદડાંનો સ્વાદ ખારો હોય છે અને ફળ માગશર મહિનામાં આવે છે.  2)મીઠો વખડો       આ વખડાના પાંદડાંનો સ્વાદ મીઠો હોય છે અને ફળ ચૈત્ર મહિનામાં આવે છે.  1)થડ      થડની ઊંચાઈ 2-3 મીટર જેટલી હોય છે. થડનો વ્યાસ 1-2 ફુટ જેટલો હોય છે. તિરાડ વાળી, કકૅશ અને ભુખરા રંગની હોય છે જ્યારે મૂળની છાલ રેતીના રંગ સમાન અને અંદરની છાલ આછા ભુરા રંગની હોય છે.  2) પાંદડાં      પાંદડા કદમાં 3-6 સેમી જેટલા હોય છે. આ ઝાડના પાંદડા લીલા રંગના અને લંબગોળાકાર હોય છે. તાજા પાંદડાં કચુંબર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.  3) ફળ      આ ઝાડના ફળને પીલુ કહેવાય છે. પીલુ કદમાં 10 મીમી  જેટલા નાના દાણા જેવ...